ડિસલિપિડેમીયા એ એક એવી અવસ્થા છે જેમાં રક્તમાં ખરાબ કોલેસ્ટ્રોલ, TG (ટ્રાયગ્લિસરાઇડ્સ) અથવા બંનેમાં વધારો થાય છે અથવા સારા કોલેસ્ટ્રોલના સ્તરમાં ઘટાડો થાય છે.
કોલેસ્ટ્રોલનું આદર્શ સ્તર
હૃદયની રક્તવાહિનીઓમાં રોગના વિકાસનું જોખમ તમારા લોહીમાં હાજર રહેલ કોલેસ્ટ્રોલની માત્રા પર નિર્ભર કરે છે. લોહીમાં કોલેસ્ટ્રોલના સ્તરનું આદર્શ સ્તર નીચે પ્રમાણે હોવું જોઈએ.
LDL: 70-130 mg/dl
HDL: 50 mg/dl થી વધુ
કુલ કોલેસ્ટ્રોલ: < 200 mg/dl
ટ્રાયગ્લિસરાઇડ્સ: < 150 mg/dl
ડિસલિપિડેમીયા શેના કારણે થાય છે?
- વધુ ચરબીયુક્ત ખોરાક ખાવાથી
- ભારે વજનવાળા હોવાથી
- કસરતનો અભાવ
કોલેસ્ટ્રોલ વધારે હોય તો શું થાય છે?
- ડિસલિપિડેમીયા એથરોસ્કલેરોસિસને કારણે થાય છે જે હાર્ટ એટેક અથવા સ્ટ્રોક અથવા પેરિફેરલ ધમનીની બિમારીનું કારણ બની શકે છે.
- સ્ટ્રોક
- હાર્ટ એટેક
- પગમાં ધમનીનું અવરોધન
ડિસલિપિડેમીયાની સારવાર કેવી રીતે કરવામાં આવે છે?
ડિસલિપિડેમીયાની સારવાર જીવનશૈલીમાં ફેરફારો કરીને અને દવાઓ દ્વારા કરવામાં આવે છે.
કુદરતી રીતે ઓછી ચરબી ધરાવતા આહારનું સેવન કરો.
- દરરોજ શાકભાજી અને ફળો ખાવ.
- સારા કોલેસ્ટ્રોલવાળો ખોરાક પસંદ કરો
- ભરપુર રેસયુકત (ફણગવેલા) કથોઉંનું સેવન કરો.
- દૂધ, સમગ્ર માખણ, આઈસ્ક્રીમ, ચીઝનો ઉપયોગ માર્યાદિત રાખો.
નિયમિત વ્યાયામ કરો.
- તમને ગમે તે એક પ્રવૃત્તિ પસંદ કરો. ચાલવું, સાઇકલ ચલાવવી, તરવું, નૃત્ય
- તમે કસરત કરો તે પહેલા વાર્મ અપ અને સ્ટ્રેચ કરો.
- દિવસ દીઠ ૩૦-૬૦ મિનીટ શારીરિક પ્રવૃત્તિ કરવાનો ધ્યેય રાખો.
- કસરત કર્યા પછી વિશ્રામ લેવાનો અને સ્ટ્રેચ કરવાનો સમય લો.
જો તમે ભારે વજનવાળા હોવ તો વજન ઉતારો
- તમારો નાસ્તો ક્યારેય છોડશો નહિ.
- ભરપુર રેસાયુક્ત આહાર વધુ લો.
- મીઠાઈ અને ખાંડવાળા પીણા ટાળો.
- નાના નાના ભાગમાં ખાઓ.
નિયમિત દવાઓ લો.
- ડોક્ટર તમારા કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરવા માટે દવાઓ લખી આપી શકે છે. તમારા ડોકટરે લખી આપેલી દવાઓ નિયમિત રીતે લો.
- સમયસર દવાઓ રીફીલ કરવો/પ્રિસ્ક્રીપ્શન્સ તાજા કરવો.
- ડોક્ટરની સલાહ વગર એકપણ ડોઝ છોડશો અથવા દવાનો ખોરાક બંધ કરશો નહિ.